અંકલેશ્વર: શહેર અને નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખોની વરણી, કાર્યકરોએ કરી ઉજવણી

અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

New Update
  • ભરૂચ ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી

  • અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણાની વરણી

  • નોટીફાઇડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયા

  • ભાજપનું સુકાન યુવાનોને સોંપાયું

  • કાર્યકરોએ કરી ઉજવણી

અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત  આઠ તાલુકા, ચાર નગર અને એક નોટિફાઇડ એરીયાના પ્રમુખોની વરણી કરી હતી.જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા અને અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આગેવાનો અને ટેકેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
તો આ તરફ અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયાને સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન જશુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં બન્ને યુવાનોને ભાજપનું સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારે તેઓ પર સંગઠનને સાથે રાખી કામ કરવાનો પડકાર રહેશે
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.