અંકલેશ્વર: શહેર અને નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખોની વરણી, કાર્યકરોએ કરી ઉજવણી

અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

New Update
  • ભરૂચ ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી

  • અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણાની વરણી

  • નોટીફાઇડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયા

  • ભાજપનું સુકાન યુવાનોને સોંપાયું

  • કાર્યકરોએ કરી ઉજવણી

Advertisment

અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત  આઠ તાલુકા, ચાર નગર અને એક નોટિફાઇડ એરીયાના પ્રમુખોની વરણી કરી હતી.જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા અને અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આગેવાનો અને ટેકેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
તો આ તરફ અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયાને સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાન જશુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં બન્ને યુવાનોને ભાજપનું સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારે તેઓ પર સંગઠનને સાથે રાખી કામ કરવાનો પડકાર રહેશે
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment