અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

New Update
  • અંકલેશ્વરમાં ફરીવાર અકસ્માતનો બનાવ

  • પાનોલી નજીક સર્જાયો અકસ્માત

  • 2 કાર વચ્ચે અકસ્માત

  • અકસ્માત બાદ કારમાં આગ ફાટી નિકળી

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર પાનોલી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બન્ને કાર ધડાકાભેર ભટકાતા કારમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.અકસ્માત અને આગના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.