અંકલેશ્વર: પ્રતિન ચોકડી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ, 8-10 ઝુંપડા આગમાં બળીને ખાક !

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી 

New Update
  • અંકલેશ્વરમાં ફરીનેકવાર આગનો બનાવ

  • પ્રતિન ચોકડી વિસ્તારમાં અગ ફાટી નિકળી

  • ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નિકળતા દોડધામ

  • 8-10 ઝુંપડા આગમાં બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી 
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 8થી10 ઝુપડા આગમાં બળીને ખાક થઈ ગયા હતા.સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર ડીપીએમસી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આ તરફ શ્રમજીવી પરિવારનો ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.
Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.