અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબિનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકનો બનાવ

  • લાકડાની કેબિનમાં આગ 

  • સમગ્ર કેબિન આગમાં બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

  • આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ મોડી રાત્રિના સમયે અંકલેશ્વરથી વાલીયાને જોડતા મુખ્ય માર્ગ પર કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા પાસે લાકડાની કેબીનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી.જેના પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ કેબિનની બાજુમાં રહેલ અન્ય કેબિનમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે કોઈક ઈસમો દ્વારા કેબિનમાં આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Latest Stories