New Update
/connect-gujarat/media/media_files/2024/11/28/6vT2KqzeKvlOpAVcjSp5.jpg)
અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ડૂબતા બે લોકોનો પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો હતો. અંકલેશ્વરના પાનોલીમાંથી ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આજરોજ બપોરના સમયે આ નહેરમાં બે લોકો ડૂબી રહ્યા હતા.
આ દરમિયાન નોકરી પૂર્ણ કરી તાત્કાલિક ડૂબી રહેલા બે વ્યક્તિઓને બચાવવા માટે નહેરમાં પાણીમાં છલાંગ લગાવી દીધી હતી અને ભારે જહેમતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેનો જીવ બચાવ્યો હતો.