અંકલેશ્વર : નેશનલ હાઈવે મુલદ ટોલ પ્લાઝા પર બેરીયર તોડવાની ઘટનામાં પાંચ ટ્રક ચાલકોની ધરપકડ,પોલીસે કાઢ્યું સરઘસ

ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી

New Update
  • ભરૂચ નજીક NH 48નો ટોલ પ્લાઝાનો મામલો

  • મુલદ ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોએ કરી હતી માફિયાગીરી

  • બેરીયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ બન્યા હતા

  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પાંચ ટ્રક ચાલકોની કરી ધરપકડ

  • પોલીસે ઠાકર ધણી લખેલા ટ્રક પણ કર્યા જપ્ત

  • આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી સાન ઠેકાણે કરતી પોલીસ

  • ટ્રક ચાલકોની તુમાખી ઉતરતા જ માફી માંગી કરી કાકલુદી  

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી દીધી હતી.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા. જેના પગલે પોલીસ એકશનમાં આવી હતી.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મુલદ ટોલ પ્લાઝા પર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી.જેમાં એક મહિલા કર્મચારી  બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી.જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. 

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ ઘટનામાં પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરી હતી,અને ચાર વાહનો જપ્ત કર્યા હતા,ઉપરાંત બેફામ બનેલા ટ્રક ચાલકોની સાન ઠેકાણે લાવવા માટે તેઓનું ટોલ પ્લાઝા ખાતે સરઘસ પણ કાઢ્યું હતું,આ દરમિયાન ટ્રક ચાલકોએ પોલીસ સમક્ષ તેઓની ભૂલ થઈ ગઈ માફ કરી દેવા માટે કાકલુદી કરતા નજરે પડ્યા હતા. અને ટોલ પ્લાઝાની કમર્ચારી યુવતી સમક્ષ પણ હાથ જોડીને માફી માંગી હતી.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.