અંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

26મી જનયુઆરીના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

New Update
  • આજે દેશનો 76મો પ્રજસત્તાક પર્વ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • અંકલેશ્વરના રામકુંડમાં આવેલી છે પ્રતિમા

  • સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

26મી જનયુઆરીના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ.શાંતિલાલ શાસ્ત્રીના બલિદાનને યાદ કર્યું હતું
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.