અંકલેશ્વર: ખરોડ ગામની સીમમાંથી એક મહિનામાં બીજી વાર દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારો !

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં  વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

New Update
  • અંકલેશ્વરના ખરોડ ગામનો બનાવ

  • ખરોડ ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો

  • વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરૂ

  • ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો

  • એક મહિનામાં બીજીવાર દીપડો પાંજરે પુરાયો

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં  વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ગામની સીમમાં શિકારની શોધમાં આવી ચઢેલ દીપડો ગ્રામજનો અને ખેડૂતોની નજરે પડ્યો હતો જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.તે દરમિયાન આજરોજ વહેલી સવારે પાંજરામાં મારણનું શિકાર કરવામાં આવેલ દીપડો પાંજરે પુરાયો હતો.આ અંગેની જાણ થતા વન વિભાગની ટીમે તેને પકડી જંગલ વિસ્તારમાં સુરક્ષિત મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એક મહિલા પહેલા પણ આ જ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.
Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના નેત્રંગમાં યોજાયો કાર્યક્રમ

  • આદિવાસી દિવસની કરવામાં આવી ઉજવણી

  • કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી જોડાયા

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.