અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન વિષય પર પરિસંવાદ યોજાયો

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ સંચલિત ગટ્ટુ વિદ્યાલય દ્વારા આજરોજ ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદ યોજાઓ હતો.રોટરી યુથ લીડરશિપ એવોર્ડના આ કાર્યક્રમમાં નેશનલ લેવલ ટ્રેનર કિંજલ શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સુનીલ નેગી,વાલકેશ પટેલ,મોના શાહ તેમજ પ્રોજેક્ટ ચેરમેન પ્રણવ બ્રહ્મભટ્ટએ દ્વારા નેતૃત્વના ગુણો,સફળ નેતૃત્વ વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા ડૉ અંશુ તિવારી, ઉપાચાર્ય પ્રકાશ લાડ,સી.બી.એસ.ઇ વિભાગના ઉપાચાર્ય સુષ્મા ચૌધરી અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.રોટરી ક્લબ દ્વારા શાળાને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું