New Update
/connect-gujarat/media/media_files/2025/02/25/sSBk2Sa5VSFddXj2Xs8a.jpg)
અંકલેશ્વર GIDC પો.સ્ટે. ની ટીમ વાલીયા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક બાળક આમ-તેમ આંટા ફેરા મારતો હોય જેથી એક જાગ્રુત નાગરીકે આ બાબતે પોલીસનું ધ્યાન દોરતા તેની પાસે જઈ નામ-ઠામ પુછતા પોતે નામ ઠામ જણાવતો ના હોય પરંતુ તેનાં હાથ પર એક મોબાઈલ નંબર લખેલો હતો.
જેના પર સંપર્ક કરતા આ બાળક માનસીક અસ્થીર હોવાનું અને સુરત શહેર ખાતેથી કોઇ રીતે અંકલેશ્વર પહોંચી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન લઈ આવી તેની સાર-સંભાળ રાખવામાં આવેલા અને તેનાં વાલીનો સંપર્ક કરી બાળકને તેનાં પિતાને સોંપવામાં આવ્યો હતો.
Latest Stories