અંકલેશ્વર: GIDC પોલીસે સુરત ખાતેથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અંકલેશ્વર GIDC પો.સ્ટે. ની ટીમ વાલીયા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક બાળક આમ-તેમ આંટા ફેરા મારતો હોય જેથી એક જાગ્રુત નાગરીકે આ બાબતે

New Update
Screenshot_2025-02-25-07-35-50-24_439a3fec0400f8974d35eed09a31f914
અંકલેશ્વર GIDC પો.સ્ટે. ની ટીમ વાલીયા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક બાળક આમ-તેમ આંટા ફેરા મારતો હોય જેથી એક જાગ્રુત નાગરીકે આ બાબતે પોલીસનું ધ્યાન દોરતા તેની પાસે જઈ નામ-ઠામ પુછતા પોતે નામ ઠામ જણાવતો ના હોય પરંતુ તેનાં હાથ પર એક મોબાઈલ નંબર લખેલો હતો.
જેના પર સંપર્ક કરતા આ બાળક માનસીક અસ્થીર હોવાનું અને સુરત શહેર ખાતેથી કોઇ રીતે અંકલેશ્વર પહોંચી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન લઈ આવી તેની સાર-સંભાળ રાખવામાં આવેલા અને તેનાં વાલીનો સંપર્ક કરી બાળકને તેનાં પિતાને સોંપવામાં આવ્યો હતો.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.