અંકલેશ્વર: ગોરજ ટાણે ગીત મધુરા સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • એફ.ડી.ડી.આઈ.ઓડિટોરિયમ ખાતે આયોજન

  • સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો

  • જાણીતી રચનાઓની રમઝટ

  • સંગીત પ્રેમીઓએ કાર્યક્રમને માણ્યો

અંકલેશ્વરના એફ.ડી.ડી.આઈ. ઓડિટોરિયમ ખાતે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા સંગીતકાર અનુપ જૈન, સેજલ સોની અને તેમના વૃંદ દ્વારા પ્રચલિત રચનાઓની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તો સંગીત સહાયક તરીકે મહેશ નિઝામા ભુપેન્દ્ર સોલંકી અને જનક શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંગીતપ્રેમી જનતાએ માણ્યો હતો
Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.