અંકલેશ્વર: ગોરજ ટાણે ગીત મધુરા સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • એફ.ડી.ડી.આઈ.ઓડિટોરિયમ ખાતે આયોજન

  • સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો

  • જાણીતી રચનાઓની રમઝટ

  • સંગીત પ્રેમીઓએ કાર્યક્રમને માણ્યો

Advertisment
અંકલેશ્વરના એફ.ડી.ડી.આઈ. ઓડિટોરિયમ ખાતે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ એફ.ડી.ડી.આઇ.ઓડિટોરિયમ ખાતે ગોરજ ટાણે ગીત મધુરા ગુજરાતી સુગમ સંગીતની પ્રચલિત રચનાઓના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા સંગીતકાર અનુપ જૈન, સેજલ સોની અને તેમના વૃંદ દ્વારા પ્રચલિત રચનાઓની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તો સંગીત સહાયક તરીકે મહેશ નિઝામા ભુપેન્દ્ર સોલંકી અને જનક શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંગીતપ્રેમી જનતાએ માણ્યો હતો
Advertisment
Read the Next Article

ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...

આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા

  • ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

  • આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસારભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કેટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફઆમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment