-
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
-
ગુજરાત ગેસની લાઇનમાં ફરી ભંગાણ
-
નોટીફાઇડ એરિયાની કચેરી નજીક ભંગાણ
-
ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ
-
ટૂંકાગાળામાં ત્રીજી વાર ભંગાણ સર્જાયું
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરીટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાઈનમાંથી ગેસ વછૂટ્યો હતો.આ અંગેની જાણ કરાતાની સાથે જ ડી.પી.એમ.સી.ના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતુ.