અંકલેશ્વર: ગુજરાત ગેસની લાઈનમાં ફરી એકવાર ભંગાણ, ટૂંકાગાળામાં ત્રીજી વાર લાઇન તૂટી !

અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

  • ગુજરાત ગેસની લાઇનમાં ફરી ભંગાણ

  • નોટીફાઇડ એરિયાની કચેરી નજીક ભંગાણ

  • ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ

  • ટૂંકાગાળામાં ત્રીજી વાર ભંગાણ સર્જાયું

Advertisment W3.CSS
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરીટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાઈનમાંથી ગેસ વછૂટ્યો હતો.આ અંગેની જાણ કરાતાની સાથે જ ડી.પી.એમ.સી.ના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતુ.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોદકામ દરમિયાન વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે જેના કારણે ગેસ પુરવઠો બાધિત બને છે.અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ જીઆઇડીસીની ગોલ્ડન ચોકડી નજીક પણ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું તો તે અગાઉ 22મી જાન્યુઆરીના રોજ પણ ચાણક્ય વિદ્યાલય નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.