અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ, નોટીફાઇડ એરિયા ઓથો.ની કામગીરી દરમ્યાન સર્જાય દુર્ઘટના

અંકલેશ્વર જીઆઇડીસીમાં માનવ મંદિર નજીક નોટીફાઇડ એરીયા ઓથોરીટીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી

New Update
  • અંકલેશ્વરમાં ફરીવાર સર્જાય દુર્ઘટના

  • ગુજરાત ગેસની લાઇનમાં સર્જાયું ભંગાણ

  • નોટીફાઇડ એરીયા ઓથો.ની ચાલી રહી હતી કામગીરી

  • તાત્કાલિક માર્ગ કોર્ડન કરવામાં આવ્યો

  • ગુજરાત ગેસના અધિકારીઓ દોડી આવ્યા

અંકલેશ્વર જીઆઇડીસીમાં માનવ મંદિર નજીક નોટીફાઇડ એરીયા ઓથોરીટીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર નજીક નોટીફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ફેન્સીંગ વોલનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરતાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે તાત્કાલિક માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસની લાઈન બંધ કરી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બે થી ત્રણ વાર ડી.જી.વી.સી.એલ.ની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું ત્યારે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પુરવઠાને અસર પહોંચી રહી છે ત્યારે ખોદકામ દરમિયાન સાવચેતી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.