અંકલેશ્વર: ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠલવાયો, જળચરોના મોત

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે.

New Update
  • અંકલેશ્વરમાં સામે આવ્યો બનાવ

  • બાકરોલ ગામ નજીક નહેરમાં રસાયણિક કચરો ઠલવાયો

  • લોકોના માથે જોખમ ઉભું કરાયુ

  • નહેરના પાણીમાં રહેલ જળચરોના મોત

  • જીપીસીબીએ તપાસ શરૂ કરી

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીકટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા
અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે.જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજરોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી.કેમિકલ માફીયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.આટલું જ નહિ પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા હતા.
આ અંગેની જાણ થતા તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પાડી હતી.સાથે જીપીસીબી સહિતની ટીમએ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા. લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.