અંકલેશ્વર : નેશનલ હાઇવે 48 પર અંદાજીત 5 કિમી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,માલ વાહક સહિતના વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાને સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
  • NH 48 પર ટ્રાફિકની સમસ્યા ઘેરી બની

  • રોજબરોજ સર્જાતા ચક્કાજામથી પરેશાની

  • વાહન ચાલકોના સમય અને ઇંધણનો બગાડ

  • પાંચ કિમી લાંબો જામ બન્યો સરદર્દ સમાન

  • ત્રણ કલાક સુધી વાહનો ફસાયેલા રહે છે

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાને સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.ડ્રોન વિડીયો થકી જોય શકાય છે કે ટ્રાફિકની વિકટ સમસ્યા કેટલી ઘેરી બની છે.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત મળે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

આજરોજ NH 48 પર વાલિયા ચોકડી પાસે આમલાખાડીના બ્રિજથી મોતાલી તરફના માર્ગ સધી માલવાહક સહિતના વાહનોની લાંબી કતાર લાગી હતી,જે ટ્રાફિકની ઘટના ડ્રોન વિડીયોમાં કેદ થઇ હતી.

Latest Stories