અંકલેશ્વર: નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી

New Update
  • અંકલેશ્વર નજીક ફરીવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • વાલિયા ચોકડી નજીક 3 કી.મી.લાંબો ટ્રાફિકજામ

  • સુરત તરફ જતી લેનમાં વાહનોની કતાર

  • અનેક વાહનચાલકો અટવાયા

  • ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ

અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિકજામના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે.
ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી.નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે.ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની આખરે પોલીસે કરી ધરપકડ, ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીઓ સાથે કનેક્શન !

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • કોંગ્રેસના મોટા નેતાની ધરપકડ

  • હીરા જોટવાની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

  • એજન્સીઓ સાથે કનેક્શન બહાર આવ્યું

  • તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા જંબુસર, આમોદ અને હાંસોટના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરુચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ SITની રચના કરવામાં આવી હતી. પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરુચ લઇ આવી હતી જ્યાં પુછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.આ એજન્સીઓના મૂળ માલિક હીરા જોટવા જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.