અંકલેશ્વર: ઘરકંકાસમાં પતિએ એપાર્ટમેન્ટના 7માં માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત, CCTV ફૂટેજ બહાર આવ્યા !

ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

New Update
  • અંકલેશ્વરનો ચકચારી બનાવ

  • પતિએ આપઘાત કર્યો

  • એપાર્ટમેન્ટના 7માં માળેથી લગાવી મોતની છલાંગ

  • ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 
અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવે નંબર આઠ પર એસ.એ. મોટર્સ નજીક આવેલ સાંઈ ગોલ્ડન રેસિડેન્સીમાં ફ્લેટ નંબર  712માં રહેતા અસલમ હસન શેખનો મોડી રાતે 2 વાગ્યે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચેની તકરાર દરમિયાન અસલમ અચાનક મકાનની સાતમા માળની ગેલેરીમાંથી કૂદી પડ્યો હતો. બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલા અસલમનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.
બીજી તરફ પતિના અંતિમવાદી પગલા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવેલ પત્ની પતિનો મૃતદેહ જોઈ હેબતાઈ જતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં પતિ મોતની છલાંગ લગાવતો નજરે પડી રહ્યો છે પતિ પત્ની વચ્ચે કઈ બાબતે તકરાર થઈ હતી તે સહિતની વિગતો મેળવવા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ: ભાજપના યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

ભાજપ યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વતંત્રતા પર્વની કરાય આગોતરી ઉજવણી

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • ભાજપના યુવા મોરચા દ્વારા યાત્રા યોજાય

  • મોટી સંખ્યમાં કાર્યકરો-વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા  ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશદાઝની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જે.બી. કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી.
રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા મોરચના કાર્યકરો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.