અંકલેશ્વર: ઘરકંકાસમાં પતિએ એપાર્ટમેન્ટના 7માં માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત, CCTV ફૂટેજ બહાર આવ્યા !

ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

New Update
  • અંકલેશ્વરનો ચકચારી બનાવ

  • પતિએ આપઘાત કર્યો

  • એપાર્ટમેન્ટના 7માં માળેથી લગાવી મોતની છલાંગ

  • ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 
અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવે નંબર આઠ પર એસ.એ. મોટર્સ નજીક આવેલ સાંઈ ગોલ્ડન રેસિડેન્સીમાં ફ્લેટ નંબર  712માં રહેતા અસલમ હસન શેખનો મોડી રાતે 2 વાગ્યે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચેની તકરાર દરમિયાન અસલમ અચાનક મકાનની સાતમા માળની ગેલેરીમાંથી કૂદી પડ્યો હતો. બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલા અસલમનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.
બીજી તરફ પતિના અંતિમવાદી પગલા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવેલ પત્ની પતિનો મૃતદેહ જોઈ હેબતાઈ જતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં પતિ મોતની છલાંગ લગાવતો નજરે પડી રહ્યો છે પતિ પત્ની વચ્ચે કઈ બાબતે તકરાર થઈ હતી તે સહિતની વિગતો મેળવવા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.