અંકલેશ્વર:દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંની પ્રતિમાઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન

અંકલેશ્વરના જુનાબોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે  દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું આ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી

New Update

અંકલેશ્વરના જુનાબોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે  દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું આ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી

દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાને વિદાય આપવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન  જુના બોરભાઠા બેટ ગામના યુવાનો,ક્લીન ભરૂચ ક્લીન નર્મદા, જી.જે.16 પેડલર્સ બાયસીકલ ગ્રુપ દ્વારા દશામાતાની મૂર્તિના વિસર્જન ટાણે માતાજીની મુર્તિના વિસર્જન સાથે મૂર્તિ વિસર્જન કરવા આવતા માઇભક્તોને છોડ આપી  પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ તરફ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી માં દશામાંની મૂર્તિનું  વિસર્જન કરવામાં આવ્યુ હતું
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.