અંકલેશ્વર: હરિપુરા ગામે 3 મકાનમાં આગ, ઘરવખરી બળીને ખાક

ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો

New Update

અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે એક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય બે મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે મકાનમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટસર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની કર્ણાટકથી કરી ધરપકડ, સગીરાને પણ મુક્ત કરાવાય

અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો

New Update
gujarat
અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા CCTV ફુટેજ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સગીરાને ભગાડી જનાર આરોપી તથા સગીરાને કર્ણાટક ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.