અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકની સોસા.માં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું, સ્થાનિકોને મુશ્કેલી

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકનો બનાવ

સોનમ સુરમ્યા સોસા.માં પાણી ફરી વળ્યું

વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું

પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકોને મુશ્કેલી

રોગચાળો ફાટી નિકળવાની દહેશત

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વરમાં વરસાદી કાસનું પાણી ઉભરાવાની અવારનવાર ઘટના સામે આવે છે ત્યારે આવો વધુ એક બનાવ  અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોસાયટીમાં બન્યો છે.અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ અને ગડખોલ ગામની હદ ધરાવતી સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાસનું પાણી ફરી વળ્યું હતું. જીઆઇડીસીના વરસાદી પાણીના નિકાલની કાંસનું પાણી સોસાયટીમાં ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તારીખ 12મી ઓક્ટોબરથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે આમ છતાં કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી. કાંંસનું ગંદુ પાણી સોસાયટીમાં ફરી વળતા રોગચાળો ફાટી નિકળવાની  દહેશત છે ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.