અંકલેશ્વર: GIDCમાં આવેલ યોગી એસ્ટેટમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ઉદ્યોગકારો પરેશાન, પ્રશ્નના નિરાકરણની માંગ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાં વારંવાર વિજળી વેરણ બનતા નાના ઉદ્યોગકારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

New Update
  • અંકલેશ્વરમાં આવેલું છે યોગી એસ્ટેટ

  • એસ્ટેટના નાના ઉદ્યોગકારો પરેશાન

  • વારંવાર વિજળી બને છે વેરણ

  • ઉત્પાદન પર પડે કગે અસર

  • પ્રશ્નના નિરાકરણની માંગ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાં વારંવાર વિજળી વેરણ બનતા નાના ઉદ્યોગકારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીતાલી ગામ નજીક યોગી એસ્ટેટ આવેલું છે જેમાં અનેક નાના ઉદ્યોગકારો વ્યવસાય કરે છે પરંતુ અનિયમિત પુરવઠાના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન અનિયમિત વીજ પુરવઠાના કારણે તેઓના ઉત્પાદન પર અસર પડી રહી છે. આ અંગે વેપારીઓ અને ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી. વારંવાર વીજકાપ આપવામાં આવે છે અઠવાડિયામાં બે વખત સમગ્ર દિવસ દરમિયાન વીજળી ડુલ થઈ જાય છે જેના કારણે તેઓના વેપાર ધંધા પર અસર પહોંચી રહી છે.
યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલું છે અને ડીજીવીસીએલની રૂરલ લાઈનમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે જેના પગલે આ સમસ્યા સર્જાય રહી હોવાનું જણાવી રહ્યા છે.આજરોજ વીજ કંપનીના અધિકારીઓ યોગી એસ્ટેટના નિરીક્ષણ અર્થે ગયા હતા જ્યાં વેપારીઓએ તેમને રજૂઆત કરી હતી અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.