અંકલેશ્વર: ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન, 4 હજાર દોડવીરોએ લીધો ભાગ

અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. 

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન

  • ફ્લેગ ઓફ આપી મેરેથોનનું કરાવાયું પ્રસ્થાન

  • 4 હજાર દોડવીરોએ લીધો ભાગ

  • આગેવાનોએ આપી હાજરી

અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત ગટ્ટુ સ્કુલ પાસે આજરોજ સવારે પાંચ વાગ્યાથી 3,5,10 અને 21 કિમિ સુધીના અંતર માટે અંદાજે 4000 જેટલા દોડવીરોએ આ મેરેથોનમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને જીલ્લા કલેકટર તુષાર સુમારેએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ મેરેથોનમાં એ.આઈ.ડી.એસ.ના ચેરમેન અશોક પંજવાની,મામલતદાર કરણસિંહ રાજપૂત,લઘુ ભારતી ઉદ્યોગના ભૂતપૂર્વ પ્રમુખ બલદેવ પ્રજાપતિ,બી.ડી.એમ.એ.ના પ્રમુખ દેવાંગ ઠાકોર,ઇન્વેન્ટ ચેરમેન સુભાષ પટેલ,કો-ચેરમેન પારસ પટેલ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેરેથોનમાં ગુજરાત ભરમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ ભાગ લીધો હતો.આ મેરેથોનમાં વિજેતાઓને રમતવીરોને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.