અંકલેશ્વર: PMJAYમાં ગેરરીતી મામલે જયાબહેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટે ખુલાસો રજૂ કર્યો !

જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો

New Update
  • જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો

  • અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ફટકારાયો છે દંડ

  • રૂ.33.44 લાખનો દંડ ફટકારાયો

  • હોસ્પિટલ પ્રસાસન દ્વારા ખુલાસો રજૂ કરાયો

  • હોસ્પિટલ સરકારના નિયમ મુજબ કામ કરતો હોવાનો ખુલાસો

જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો આપવામાં આવ્યો છે
ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઇ આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતી જોવા મળી હતી. આ જોતાં વધુ બે હોસ્પિટલોને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઇ હતી જ્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂ.33,44,031નો દંડ ફટકારવામાં આવ્યો હતો
આ બાબતે હવે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો સામે આવ્યો છે.આયુષ્યમાન પોર્ટલ પર માન્યતા પ્રાપ્ત તબીબે હોસ્પિટલમાં અચાનક જ આવવાનું બંધ કરી દીધું હતું.વચ્ચેના 12 દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી. નવા તબીબની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી હોસ્પિટલ સરકારના નિયમ મુજબ જ કામગીરી કરે છે.દર્દીઓના હિતમાં 12 દિવસ સુધી લીધેલ નિર્ણયનો સરકાર સહાનુભૂતિની દ્રષ્ટિએ વિચાર કરે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે
Read the Next Article

અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..

અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે

New Update
  • ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યા માર્ગ

  • મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 બન્યો બિસ્માર

  • હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું

  • બ્લોક સહિત મેટલ થકી પેચિંગ વર્કની કામગીરી શરૂ

  • વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવામાં રાહત મળી

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છેત્યારે હવે અનેક વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.

મુંબઇથી સુરતભરૂચવડોદરાને જોડતા નેશનલ હાઇવે નં. 48 પર ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છેત્યારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર રસ્તાઓની સાથે દરેક બ્રિજ પર તેમજ સાઇડના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. એટલું જ નહીંખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છેઅને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

 જોકેમાર્ગ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા ઢગલેબંધ ફરિયાદો નેશનલ હાઇવે ઓથોરીટીની મુખ્ય કચેરીએ પહોચી હતી. જેથી હવેવરસાદ વચ્ચે ઉઘાડ નીકળતાNHAI દ્વારા તાત્કાલિક ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે માર્ગને ખાડામુકત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરના ખરોડ નજીક હાઇવે માર્ગ પર બ્લોક તેમજ મેટલ મુકીJCBની મદદથી રસ્તા પર પડેલા ખાડાઓને પુરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેમુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.