અંકલેશ્વર: જોગર્સ પાર્કને અટલ પાર્ક નામ અપાયું, હિન્દૂ સંગઠનોએ શિવાજી પાર્ક નામ આપવા કરી હતી માંગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ  જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલો છે જોગર્સ પાર્ક

  • જોગર્સ પાકને અટલ પાર્ક નામ અપાયું

  • હિન્દૂ સંગઠનોએ શિવાજી પાર્ક નામ આપવા કરી હતી માંગ

  • તંત્ર આવેદનપત્ર પણ પાઠવ્યું હતું

  • પાર્કના નામને લઈ વિવાદ જોવા મળ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ  જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
તાજેતરમાં હિન્દૂ સંગઠન દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિતમાં એક આવેદન પત્ર એસ.ડી.એમ અને નોટીફાઈડ અધિકારીઓને આપ્યું હતું જે બાદ નોટીફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકલી લાગતા જ હિન્દુ સંગઠનો લાલઘૂમ બન્યા છે.
બીજી તરફ એ.આઈ.એ પ્રમુખ હિંમત સેલડિયાએ નોટીફાઈડની બોર્ડ મીટીંગ અને મેનેજીંગ કમિટીમાં જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ સહીત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડનના નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રાતોરાત જ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપવા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી ત્યારે નામને લઈને ભવિષ્યમાં ભારે વિવાદ જોવા મળશે એ વાત નક્કી છે.
Read the Next Article

ભરૂચ: ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

New Update
  • આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • સનાતન ધર્મ પરિવાર દ્વારા ઉજવણી કરાય

  • ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ આપી હાજરી

ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુઆશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો.વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભજન સંધ્યા, પૂજા-અર્ચના અને ગુરુવંદના ગુંજ્યાં હતાં. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા. ઉપરાંત, લાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ તથા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.