અંકલેશ્વર: જોગર્સ પાર્કને અટલ પાર્ક નામ અપાયું, હિન્દૂ સંગઠનોએ શિવાજી પાર્ક નામ આપવા કરી હતી માંગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ  જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલો છે જોગર્સ પાર્ક

  • જોગર્સ પાકને અટલ પાર્ક નામ અપાયું

  • હિન્દૂ સંગઠનોએ શિવાજી પાર્ક નામ આપવા કરી હતી માંગ

  • તંત્ર આવેદનપત્ર પણ પાઠવ્યું હતું

  • પાર્કના નામને લઈ વિવાદ જોવા મળ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ  જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
તાજેતરમાં હિન્દૂ સંગઠન દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિતમાં એક આવેદન પત્ર એસ.ડી.એમ અને નોટીફાઈડ અધિકારીઓને આપ્યું હતું જે બાદ નોટીફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકલી લાગતા જ હિન્દુ સંગઠનો લાલઘૂમ બન્યા છે.
બીજી તરફ એ.આઈ.એ પ્રમુખ હિંમત સેલડિયાએ નોટીફાઈડની બોર્ડ મીટીંગ અને મેનેજીંગ કમિટીમાં જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ સહીત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડનના નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રાતોરાત જ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપવા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી ત્યારે નામને લઈને ભવિષ્યમાં ભારે વિવાદ જોવા મળશે એ વાત નક્કી છે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.