અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે મોટી ટ્રક પસાર કરાય

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે

New Update
a

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી.

Advertisment W3.CSS

અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આમ છતાં અવારનવાર બ્રિજ પરથી ભારે વાહનો બે રોકટોક પણે ભારે વાહનો પસાર કરવામાં આવે છે બ્રિજની બન્ને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે જે અકસ્માતને નોતરી શકે છે ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડક પણે અમલ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે