અંકલેશ્વર: શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં જ જામતી દારૂની મહેફિલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

New Update

અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં જ દારૂની મહેફિલ બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના શાસકો પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ એક શરમજનક બાબત છે
દારૂની મહેફિલના વાયરલ વિડીયો બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબહેન મકવાણાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે,શાળા પાછળ સોસાયટી હોવાથી લોકોની અવર જવર માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલનો પ્રારંભ

  • સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો થયો પ્રારંભ

  • મહંત ગંગદાસ બાપુના હસ્તે કરાયો પ્રારંભ

  • નેત્રરોગના દર્દીઓને મળશે આધુનિક સારવાર

  • પાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ સેન્ટરનો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના લોકો સુરત,વડોદરા સુધી આંખની તપાસ માટે જવું ન પડે અને મોતિયો માટે પણ લેસરથી ઓપરેશનની સુવિધા અંકલેશ્વરમાં મળી રહે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પાલિકાના હોદ્દેદારો,સભ્યો તેમજ ડો.સતીષ ગુપ્તા,ડો.નીરજ ગુપ્તા અને બીજા અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં લોકોને સુવિધા મળે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર સુવિધાઓથી સજ્જ  હોસ્પિટલ બનાવ્યું છે,અને લોકોને સારી સુવિધાઓ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.