અંકલેશ્વર: પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ

અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

New Update
  • અંકલેશ્વરના વોર્ડ નં-2માં આવેલી છે સોસાયટી

  • પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખનો છે વોર્ડ 

  • ગજાનંદ સોસાયટીમાં સમસ્યા

  • ગટરના ઉભરાતા  પાણીના કારણે મુશ્કેલી

  • રોગચાળો ફાટી નીકળવાની દહેશત

  • સમસ્યાના નિરાકરણની માંગ

Advertisment
અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે.તો બીજી તરફ અંકલેશ્વર નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીના રહીશો  ઉભરાતી ગટરના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉભરાતી ગટરના પ્રશ્ને વારંવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ શૂન્ય છે. ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે.આ ઉપરાંત દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ સ્થાનિકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ગટરનું દુષિત પાણી માર્ગ પર ફરી વળતા અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.ત્યારે આ પ્રશ્નના નિરાકરણની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચમાં “વિજકાપ” : 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં..!

ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી વિજકાપ રેહશે

New Update
power cut
ભરૂચ શહેરના 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે તા. 23 મેં-2025 શુક્રવારના રોજ વીજ ગ્રાહકોને 6 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા DGVCL દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisment
આવતીકાલે તા. 23મી મેં-2025 શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી, મિલેનિયમ માર્કેટ, મોદી કમ્પાઉન્ડ, પરમાર બુટ હાઉસ, શાસ્ત્રી માર્કેટ, 7-X, ડુમવાડ, સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તાર, આચારવાડ રોડ, ગોલવાડ, ભોયવાડ, એદ્રુસ રોડ, નવાડેરા, લાલભાઇની પાટ, લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જોકે, વીજ નિગમ દ્વારા 6 કલાક બાદ કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
Advertisment