અંકલેશ્વર: સંજાલીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં, ગ્રામજનોને મુશ્કેલી

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

ચોમાસાની ઋતુમાં અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ પર અત્યંત બિસ્માર બન્યો છે. બિસ્માર માર્ગના કારણે ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.આ માર્ગ પરથી ગ્રામજનો રોજિંદા પસાર થાય છે ત્યારે બિસ્માર માર્ગના  કારણે તેઓએ મુશ્કેલી વેઠવી પડે છે.આ ઉપરાંત માર્ગની બાજુમાં જ ગટરનું દૂષિત પાણી પણ જોવા મળે છે જેના કારણે ગંદકીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે.
ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ગામમાં હાલ વહીવટદારનું શાસન છે. બે વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સરપંચની ચૂંટણી થઈ નથી ત્યારે ગામનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાના આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.સાથે સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.