અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતની ગ્લીન્ડિયા કેમિકલ્સમાં ભીષણ આગના પગલે નાસભાગ મચી,ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,

author-image
By Connect Gujarat Desk
New Update
  • ઔદ્યોગિક વસાહતમાં આગનો બનાવ

  • ગ્લીન્ડિયા કેમિકલ્સમાં લાગી ભીષણ આગ

  • વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

  • 7 થી વધુ ફાયર ટેન્ડરની લેવામાં આવી મદદ

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,અને ફાયર લાશ્કરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની  ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી,જોકે જોત જોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી,અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.ઘટના અંગેની જાણ નોટીફાઈડ એરિયા ઓથોરીટીનાં ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા,પરંતુ આગ બેકાબુ બનતા 7થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે.અને લાશ્કરોએ આગ પર ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

જાણવા મળ્યા મુજબ કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાય હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે,ઘટનામાં હાલમાં કોઈ જાનહાની પહોંચી ન હોવાનું પણ જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચના ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.