અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતની ગ્લીન્ડિયા કેમિકલ્સમાં ભીષણ આગના પગલે નાસભાગ મચી,ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,

author-image
By Connect Gujarat Desk
New Update
  • ઔદ્યોગિક વસાહતમાં આગનો બનાવ

  • ગ્લીન્ડિયા કેમિકલ્સમાં લાગી ભીષણ આગ

  • વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

  • 7 થી વધુ ફાયર ટેન્ડરની લેવામાં આવી મદદ

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,અને ફાયર લાશ્કરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

 ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની  ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી,જોકે જોત જોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી,અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.ઘટના અંગેની જાણ નોટીફાઈડ એરિયા ઓથોરીટીનાં ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા,પરંતુ આગ બેકાબુ બનતા 7થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે.અને લાશ્કરોએ આગ પર ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

જાણવા મળ્યા મુજબ કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાય હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે,ઘટનામાં હાલમાં કોઈ જાનહાની પહોંચી ન હોવાનું પણ જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચના ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.