અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતની ગ્લીન્ડિયા કેમિકલ્સમાં ભીષણ આગના પગલે નાસભાગ મચી,ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,

author-image
By Connect Gujarat Desk
New Update
  • ઔદ્યોગિક વસાહતમાં આગનો બનાવ

  • ગ્લીન્ડિયા કેમિકલ્સમાં લાગી ભીષણ આગ

  • વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

  • 7 થી વધુ ફાયર ટેન્ડરની લેવામાં આવી મદદ

Advertisment

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,અને ફાયર લાશ્કરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

 ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની  ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી,જોકે જોત જોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી,અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.ઘટના અંગેની જાણ નોટીફાઈડ એરિયા ઓથોરીટીનાં ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા,પરંતુ આગ બેકાબુ બનતા 7થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે.અને લાશ્કરોએ આગ પર ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

જાણવા મળ્યા મુજબ કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાય હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે,ઘટનામાં હાલમાં કોઈ જાનહાની પહોંચી ન હોવાનું પણ જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચના ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment