અંકલેશ્વર: મહિલા દિવસ નિમિત્તે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારી શક્તિઓનું કરાયુ સન્માન

અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન

  • વિશ્વ મહિલા દિવસની કરાય ઉજવણી

  • નારી શક્તિઓનું કરાયુ સન્માન

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે આજરોજ માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, જાણીતા તબીબ ડો. લતા શ્રોફ,સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા, મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠ્ઠલાની, ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ,નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધમેન્દ્ર પુષ્પકર્ણ સહિતના આગેવાનો
 ઉપસ્થિત રહ્યા હતા.નારી તું નારાયણી શીર્ષક અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન ખાસ કેક કટિંગ કર્યાં બાદ અંકલેશ્વરમાં વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર 22 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment