અંકલેશ્વર: મહિલા દિવસ નિમિત્તે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારી શક્તિઓનું કરાયુ સન્માન

અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન

  • વિશ્વ મહિલા દિવસની કરાય ઉજવણી

  • નારી શક્તિઓનું કરાયુ સન્માન

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે આજરોજ માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, જાણીતા તબીબ ડો. લતા શ્રોફ,સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા, મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠ્ઠલાની, ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ,નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધમેન્દ્ર પુષ્પકર્ણ સહિતના આગેવાનો
 ઉપસ્થિત રહ્યા હતા.નારી તું નારાયણી શીર્ષક અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન ખાસ કેક કટિંગ કર્યાં બાદ અંકલેશ્વરમાં વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર 22 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.