અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની ટકકરે મોપેડ સવાર મૌલવીનું મોત, અન્ય એક યુવાનને ઇજા

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • અજાણ્યા વાહને મોપેડને મારી ટક્કર

  • મોપેડ સવાર મૌલવીનું મોત

  • અન્ય એક યુવાનને પહોંચી ઇજા

  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Advertisment
અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઇવે ઉપરથી પસાર થઈ રહયા હતા.તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ઇજાગ્રસ્તને  તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેની સાથે રહેલ મોહસીન નામના યુવાનને ઇજા પહોંચી છે જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories