અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની ટકકરે મોપેડ સવાર મૌલવીનું મોત, અન્ય એક યુવાનને ઇજા

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • અજાણ્યા વાહને મોપેડને મારી ટક્કર

  • મોપેડ સવાર મૌલવીનું મોત

  • અન્ય એક યુવાનને પહોંચી ઇજા

  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઇવે ઉપરથી પસાર થઈ રહયા હતા.તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ઇજાગ્રસ્તને  તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેની સાથે રહેલ મોહસીન નામના યુવાનને ઇજા પહોંચી છે જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.