અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની ટકકરે મોપેડ સવાર મૌલવીનું મોત, અન્ય એક યુવાનને ઇજા

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • અજાણ્યા વાહને મોપેડને મારી ટક્કર

  • મોપેડ સવાર મૌલવીનું મોત

  • અન્ય એક યુવાનને પહોંચી ઇજા

  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઇવે ઉપરથી પસાર થઈ રહયા હતા.તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ઇજાગ્રસ્તને  તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેની સાથે રહેલ મોહસીન નામના યુવાનને ઇજા પહોંચી છે જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.