New Update
/connect-gujarat/media/media_files/2025/05/25/NGI0fvaXb9W8EUL1Jtk6.png)
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.
વિડિયો થયો વાયરલ
આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતાં તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઇ કરી હતી. માત્ર 10 દિવસમાં બીજીવારના આ કૃત્યને લઇ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બાગમાં 24 કલાક ચોકીદાર હાજર રહેતાં હોવા છતાં આ ઘટના કઇ રીતે બની તે તપાસ નો વિષય છે. નગરપાલિકાએ પણ ઘટનાની તપાસ આદરી છે.