અંકલેશ્વર:માનવ મંદિર નજીક પોલીસની ઓળખ આપી મહિલાના દાગીના પડાવનાર મુંબઈના ગઠિયાની ધરપકડ !

મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં 6 માસ પૂર્વે બન્યો હતો બનાવ

  • મહિલા પાસેથી પડાવાયા હતા દાગીના

  • પોલીસની ઓળખ આપી દાગીના પડાવાયા હતા

  • આરોપીની પોલીસે કરી ધરપકડ

  • મુંબઈમાં રહેતા આરોપીની ધરપકડ

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-25મી નવેમ્બર 2024ના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમ્યાન માનવ મંદિર નજીક બાઈક સવાર 2 ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમ્યાન બન્ને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો.
આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે જીઆઇડીસી પોલીસે આ મામલામાં આરોપી અને  મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલ નગર અંબે વેલી પાસે રહેતો બાદશાહખાન કાઝી બાબુખાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: પ્લેન ક્રેશની ઘટનામાં જંબુસરના MBBSના વિદ્યાર્થીનો આબાદ બચાવ, જમવા જ બેઠા હતા અને માથે મોત આવ્યુ !

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો

New Update
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મેડિકલના વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે જે બદલ તેણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો  હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવે જણાવ્યું કે તે સમયે તે અને તેના મિત્રો એકસાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ પાસે બેઠેલા હતા ત્યારે અચાનક એક જોરદાર અવાજ સંભળાયો અને ત્યારબાદ તાત્કાલિક ધુમાડાના ગોટેગોટા છવાય ગયા હતા. પરિસ્થિતિને સમજ્યા વગર, જીવ બચાવવાની હિમ્મત સાથે તે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે છુપાઈ ગયા જ્યારે થોડો મોકો મળ્યો ત્યારે ધ્રુવે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને નજીકની સુરક્ષિત જગ્યા તરફ પહોંચી ગયા હતા.
બાદમાં આ સમગ્ર ઘટના પ્લેન ક્રેશની હોવાનું બહાર આવ્યું હતુ.ધ્રુવે પોતાનો જીવ બચાવવાને ભગવાનની કૃપા ગણાવતાં પોતાના સ્નેહી મિત્રોનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવવાથી ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.