અંકલેશ્વર: ન.પા.દ્વારા ઇનફ્લો વાલ્વ ખોલી ગામ તળાવમાં પાણી છોડયું, નહેરમાં કેમિકલ કાંડ બાદ બંધ હતો પાણી પુરવઠો

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ  હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું.

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનની કામગીરી

  • ગામ તળાવમાં છોડવામાં આવ્યું પાણી

  • લેક્વ્યુ પાર્ક ખાતે ઇનફલો વાલ્વ ખોલાયો

  • નહેરમાં કેમિકલ કાંડ બાદ બંધ હતો પાણી પુરવઠો

  • નહેરના પાણીનું લેબોરેટરીમાં ચેકીંગ કરાયુ

અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા લેક્વ્યુ પાર્ક ખાતે ઇનફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણીમાં છોડવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ  હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી.આ તરફ જીઆઇડીસી તરફનો પાણી પુરવઠો ગતરોજ શરૂ કરાયા બાદ આજે નગરપાલિકા દ્વારા લેક વ્યુપાર્ક ખાતે ઈનફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું.
નહેરના પાણીનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાણી આરોગ્ય માટે જોખમી ન હોવાનો રિપોર્ટ આવતા આજથી ગામ તળાવમાં નહેરનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.નહેરમાં કેમિકલ કાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તો જવાબદાર કયુવી લેબ કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટીસ સાથે રૂ.25 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની કર્ણાટકથી કરી ધરપકડ, સગીરાને પણ મુક્ત કરાવાય

અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો

New Update
gujarat
અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા CCTV ફુટેજ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સગીરાને ભગાડી જનાર આરોપી તથા સગીરાને કર્ણાટક ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.