New Update
-
અંકલેશ્વર નગર સેવા સદનની કામગીરી
-
ગામ તળાવમાં છોડવામાં આવ્યું પાણી
-
લેક્વ્યુ પાર્ક ખાતે ઇનફલો વાલ્વ ખોલાયો
-
નહેરમાં કેમિકલ કાંડ બાદ બંધ હતો પાણી પુરવઠો
-
નહેરના પાણીનું લેબોરેટરીમાં ચેકીંગ કરાયુ
અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા લેક્વ્યુ પાર્ક ખાતે ઇનફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણીમાં છોડવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી.આ તરફ જીઆઇડીસી તરફનો પાણી પુરવઠો ગતરોજ શરૂ કરાયા બાદ આજે નગરપાલિકા દ્વારા લેક વ્યુપાર્ક ખાતે ઈનફ્લો વાલ્વ ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું.
નહેરના પાણીનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાણી આરોગ્ય માટે જોખમી ન હોવાનો રિપોર્ટ આવતા આજથી ગામ તળાવમાં નહેરનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.નહેરમાં કેમિકલ કાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તો જવાબદાર કયુવી લેબ કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટીસ સાથે રૂ.25 લાખનો દંડ પણ ફટકાર્યો છે.