અંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કસરત શરૂ કરી, કાયમી કોઈ ઉકેલ શોધાય તે જરૂરી!

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

New Update
  • નગરપાલિકા તંત્રએ સુસ્તી ઉડાવી

  • ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવ્યા

  • શહેર વિસ્તારમાં કરાઈ કામગીરી

  • સેનેટરી વિભાગ દ્વારા પણ કરાઈ સફાઈ ઝુંબેશ

  • ગંદકી કરનાર સામે કરાઈ કાર્યવાહી 

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કવાયત કરવામાં આવી છે.જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલસરગમ કોમ્પલેક્ષ સુધી અને પીરામણથી સુરતી ભાગોળ ,ગોયાબજારમુલ્લાવાડ  સહિતના વિસ્તારોના  મુખ્ય માર્ગો પરના શહેર પોલીસની ટીમ સહિત પાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી.જેના પગલે કેટલાક દબાણ કરતાઓએ સ્વૈચ્છીક  પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા. આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા 7,000 થી વધુનો દંડ વસૂલ્યો હતો.

 

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.