અંકલેશ્વર: કોર્ટ સંકુલમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર નો એન્ટ્રી, હાઇકોર્ટના પરીપત્ર બાદ લેવાયો નિર્ણય

અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે

New Update
  • અંકલેશ્વર કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

  • કોર્ટ સંકુલ માટે બનાવાયો નિયમ

  • હેલમેટ વગર ટુ વ્હીલર ચાલકોને સંકુલમાં નો એન્ટ્રી

  • પોલીસ દ્વારા ગેટ પર જ ટુ વ્હીલર ચાલકોને અટકાવાયા

  • હાઇકોર્ટના પરિપત્ર બાદ લેવાયો નિર્ણય

Advertisment
અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા મુદ્દે ઝાટકણી કાઢી હતી અને હાઇકોર્ટમાં હેલ્મેટ વગર ટુ વહીલર ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ત્યારે હવે અંકલેશ્વર કોર્ટમાં પણ આ પરિપત્રનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર કોર્ટમાં આવતા ધારાશાસ્ત્રીઓ, કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોને હેલ્મેટ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી.

હેલ્મેટ વગર ટુ વહીલ ચલાવવાના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાની શક્યતા વધી જાય છે જેના કારણે હાઇકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર કોર્ટમાં હવે ટુ વહીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ અપાતો નથી અને દરેક વાહન ચાલકોને હેલમેટ ફરજિયાત પહેરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ માટે પોલીસ કર્મચારીઓ કોર્ટના ગેટ પર ઉભા રહી વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને તેઓને હેલ્મેટ પહેરવા અંગે આદેશ આપી રહ્યા છે.

#Helmet Drive #Ankleshwar #two-wheeler #CGNews #Helmet #NO ENTRY #Court
Advertisment
Latest Stories
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવ...

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.