અંકલેશ્વર: કોર્ટ સંકુલમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર નો એન્ટ્રી, હાઇકોર્ટના પરીપત્ર બાદ લેવાયો નિર્ણય

અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે

New Update
  • અંકલેશ્વર કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

  • કોર્ટ સંકુલ માટે બનાવાયો નિયમ

  • હેલમેટ વગર ટુ વ્હીલર ચાલકોને સંકુલમાં નો એન્ટ્રી

  • પોલીસ દ્વારા ગેટ પર જ ટુ વ્હીલર ચાલકોને અટકાવાયા

  • હાઇકોર્ટના પરિપત્ર બાદ લેવાયો નિર્ણય

અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા મુદ્દે ઝાટકણી કાઢી હતી અને હાઇકોર્ટમાં હેલ્મેટ વગર ટુ વહીલર ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ત્યારે હવે અંકલેશ્વર કોર્ટમાં પણ આ પરિપત્રનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર કોર્ટમાં આવતા ધારાશાસ્ત્રીઓ, કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોને હેલ્મેટ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી.

હેલ્મેટ વગર ટુ વહીલ ચલાવવાના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાની શક્યતા વધી જાય છે જેના કારણે હાઇકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર કોર્ટમાં હવે ટુ વહીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ અપાતો નથી અને દરેક વાહન ચાલકોને હેલમેટ ફરજિયાત પહેરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ માટે પોલીસ કર્મચારીઓ કોર્ટના ગેટ પર ઉભા રહી વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને તેઓને હેલ્મેટ પહેરવા અંગે આદેશ આપી રહ્યા છે.

#CGNews #Ankleshwar #Court #two-wheeler #NO ENTRY #Helmet #Helmet Drive
Latest Stories
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છે...

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.