અંકલેશ્વર:બેઇલ કંપનીને દુષિત પાણી નિકાલ બદલ નોટિફાઈડ વિભાગે પાઠવી નોટીસ, રૂ.5 લાખ સુધીનો થશે દંડ

ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે બેઇલ કંપની

  • કંપનીએ દુષિત પાણીનો કર્યો હતો નિકાલ

  • નોટીફાઇડ વિભાગ દ્વારા નોટીસ પાઠવાય

  • રૂ.5 લાખ સુધીનો દંડ વસુલ કરાશે

  • અગાઉ GPCBએ પણ પાઠવી છે નોટીસ

અંકલેશ્વર જીઆઈડીસીની બેઇલ કંપની તાજેતરમાં વરસાદની આડમાં પ્રદુષિત પાણી ખુલ્લી વરસાદી ગટરમાં છોડતી રંગે હાથ ઝડપાતા જીપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓર્થોરિટીએ પણ નોટિસ પાઠવી દંડ વસુલ કરવાની તજવીજ હાથ ધરી છે.
ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી.જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનીટરીંગ ટીમ દ્વારા પ્રદુષિત પાણીના નમુના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યુ હતુ.નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકશાન પહોંચાડવા બદલ બેઇલ કંપની એ નોટિસ ફટકારવામાં આવી હતી.નોટિફાઈડ વિભાગના ધારાધોરણ મુજબ લાર્જ સ્કેલ કંપનીને જોતા અંદાજે રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે.એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઈડ વિભાગે તજવીજ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.

Latest Stories