અંકલેશ્વર: અમરાવતી ખાડી રસાયણ યુક્ત પાણીના કારણે અસંખ્ય માછલીના મોત, GPCBએ તપાસ શરૂ કરી

અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે

New Update
  • અંકલેશ્વરમાં અસંખ્ય માછલીના મોત

  • અમરાવતી ખાડીમાં માછલીના મોત નિપજ્યા

  • રસાયણયુક્ત પાણીના કારણે મોત નિપજ્યા

  • જીપીસીબીની ટીમે પાણીના સેમ્પલ લીધા

  • બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન

Advertisment
અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલર યુક્ત અને દુર્ગંધ વાળું પાણી વરસાદી પાણી સાથે સી પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ  અમરાવતી ખાડીમાં ગયું છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી હતી.પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયા, સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયાએ સ્થળ તપાસ કરી હતી.જીપીસીબી દ્વારા અમરાવતી ખાડી પાણી ન અને મૃત્યુ પામેલ માછલીઓના સેમ્પલનું લેવામાં આવ્યા હતા. 
Advertisment
Latest Stories