અંકલેશ્વર: નવા વર્ષની પરોઢે લોકોએ સબરસની શુકનભીની કરી ખરીદી, ચપટી મીઠું ખરીદી સુકનના શ્રી ગણેશ કરાયા

નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે

New Update
  • આજે નૂતન વર્ષ

  • નૂતન વર્ષની પરોઢે પરંપરાના દર્શન

  • લોકોએ શુકનનું સબરસ ખરીદયુ

  • ચપટી મીઠું ખરીદવાની માન્યતા

  • અંકલેશ્વરમાં આ પરંપરા આજે પણ જીવંત

નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે
પ્રકાશનું પર્વ પૂરું થતાની સાથે જ નવી સવાર સાથે નૂતનવર્ષનો અવસર. નવા વર્ષે વહેલી સવારે સબરસ લ્યો…સબરસ..લ્યો…ની બુમો કાને પડે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અંકલેશ્વર હાંસોટમાં આજે પણ યથાવત રહી છે. નવા વર્ષે સબરસ ખરીદવાની શુભ માનવામાં છે. છપ્પનપકવાન પીરસવામાં આવ્યા હોય પરંતુ જો આ વ્યંજનોમાં ચપટી મીઠું ના હોય તો વ્યંજન વ્યંજન નથી રહેતા એવી જ રીતે જીવનમાં સહેજ મીઠું જરૂરી છે. સબરસનું મહત્વ પણ કંઈક આવું જ છે.સબરસની જેમ આવનારા વર્ષમાં વ્યક્તિને જીવનમાં દરેક માણવાનો અવસર પ્રાપ્ત થાય. ભગવાન શ્રીકૃષ્ણએ મીઠાના મહત્વને સમજાવ્યું હતું અને તેને સબરસ નામ આપ્યું હતું. આથી શુકનવંતી વસ્તુઓમાં મીઠાને પ્રથમ ગણાય છે, જેના લીધે વર્ષોથી આવતી પરંપરા આજે નવી પેઢીએ પણ અપનાવી છે અને નવા વર્ષની વહેલી સવારે સબરસની શુકનભીની ખરીદી કરી હતી.
Latest Stories