અંકલેશ્વર: ONGC દ્વારા સફાઈ કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો

New Update

અંકલેશ્વરમાં કરાયુ આયોજન

Advertisment

સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી

ઓ.એન.જી.સી.દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

સફાઈ કામદારોના આરોગ્યની તપાસ કરાય

નિષ્ણાત તબીબોએ આપી સેવા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
Advertisment
અંકલેશ્વર નગર પાલિકા અને હાંસોટની કાકાબા હોસ્પિટલ તેમજ ઓ.એન.જી.સીના સી.એસ.આર ફંડમાંથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો ઓ.એન.જી.સી અને નગર પાલિકાના સફાઈ કર્મીઓએ લાભ લીધો હતો.કેમ્પમાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત અને ઓ.એન.જી.સીના અધિકારીઓ તેમજ સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ક્રિષ્નાપાર્ક સોસા.માંથી મળ્યો મૃતદેહ

  • મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

  • આપઘાત કર્યો હોવાનું અનુમાન

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેશ પંચાલ નામનો યુવાન  શુક્રવારથી  ઘરની બહાર નજરે નહીં પડતા સ્થનિકોએ તેના મોટાભાઈને જાણ કરી હતી.તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવાન બેડ પર બેશુદ્ધ નજરે પડ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisment