અંકલેશ્વર : સ્ક્રેપ ટ્રેડર્સ પર પોલીસની તવાઈ,સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત ભંગારના ગોડાઉનમાં તપાસથી ફફડાટ

અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

New Update
  • આગ,પ્રદૂષણ સહિતના મુદ્દે બદનામ સ્ક્રેપ માર્કેટ

  • ભંગારના ગોડાઉન પર પોલીસની તવાઈ

  • અંકલેશ્વરમાં પોલીસે યોજી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ

  • પોલીસની 10 ટીમો દ્વારા કરાઈ કાર્યવાહી

  • પોલીસે 80થી વધુ લોકો સામે કરી કાર્યવાહી

અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં છાશવારે આગ લાગવાના બનાવો તેમજ પ્રદૂષણ મુદ્દે વિવાદ સર્જાતો રહે છે.ત્યારે ભરૂચSOGએ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી.અંકલેશ્વરના અંસાર અને નોબલ માર્કેટમાં કલાક સુધી ગોડાઉનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ ચેકિંગમાં 11 અધિકારીઓ90 પોલીસ જવાનોની 10 ટીમોએ સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપનો ધંધો કરતા ઇસમોની સઘન તપાસ કરી હતી.

ચેકીંગ દરમિયાન સ્ક્રેપ ગોડાઉનશકમંદ જગ્યાભાડા કરાર નહી કરનાર ઈસમોના પોલીસ વેરીફીકેશન બાબતે ચેક કરતા જાહેરનામા ભંગના 50 કેસ.,બી રોલના 25 કેસ તેમજ બી.એન.એસ.એસ.ની કલમ હેઠળ 9 કેસ કરવામાં આવ્યા હતા.ચેકીંગમાં એલસીબીઅંકલેશ્વરના તમામ ડિવિઝન અને પાનોલી પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.