અંકલેશ્વર: NH 48 પરથી ક્રૂરતા પૂર્વક ટ્રકમાં લઇ જવાતા 62 બકરા પોલીસે મુક્ત કરાવ્યા, ટ્રકચાલકની ધરપકડ

બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • NH 48 પરથી બકરાઓને મુક્ત કરાવ્યા

  • ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ગેરકાયદેસર રીતે કરાતી હતી હેરાફેરી

  • ટ્રકચાલકની પોલીસે કરી અટકાયત

  • 62 બકરાને પોલીસે મુક્ત કરાવ્યા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીકથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા 62 બકરાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર પશુઓને બાંધી કુર્તાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર GJ 24 V 8648 આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા હતા.પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેદીઅલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.