અંકલેશ્વર: NH 48 પરથી ક્રૂરતા પૂર્વક ટ્રકમાં લઇ જવાતા 62 બકરા પોલીસે મુક્ત કરાવ્યા, ટ્રકચાલકની ધરપકડ

બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • NH 48 પરથી બકરાઓને મુક્ત કરાવ્યા

  • ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ગેરકાયદેસર રીતે કરાતી હતી હેરાફેરી

  • ટ્રકચાલકની પોલીસે કરી અટકાયત

  • 62 બકરાને પોલીસે મુક્ત કરાવ્યા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીકથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા 62 બકરાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર પશુઓને બાંધી કુર્તાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર GJ 24 V 8648 આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા હતા.પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેદીઅલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.