અંકલેશ્વર : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી રૂ. 1.85 લાખના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ. 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો.

New Update
a

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ. 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો.

મળતી માહિત અનુસારગત તા. 12મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી દરમ્યાન અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઈટ ખાતે લોખંડનીGT બ્રીજ પરથી પ્લેટ નંગ 44 સહીત અન્ય પ્લેટો મળી કુલ રૂ. 1.85 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ ચોરીમાં અગાઉ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અવિનાશ વસાવાઅરુણ વસાવાસંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી 23 નંગ પ્લેટ મળી રૂ. 96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોત્યારે હવે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 12 નંગ પ્લેટ મળી 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે નોબેલ માર્કેટમાં રહેતા દીલસાર મકબુલ શાહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.