અંકલેશ્વર: NH 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગવા મામલે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

New Update
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
NH 48 નજીક સ્ક્રેપ માર્કેટમાં લાગી હતી આગ
સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળ્યા હતા
મામલામાં પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
પોલીસ તપાસનો ધમધમાટ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને આવેલા સ્ક્રેપના માર્કેટમાં હોળીના દિવસે આગ ફાટી નીકળી હતી.એક  ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા એક પછી એક સ્ક્રેપના 8 જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.નજીકમાં આવેલા ભડકોદરા ગામના રહેવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો ઉઠી હતી.આ મામલે તંત્ર દ્વારા ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉનને તોડી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે. આગ લાગવાની ઘટનામાં પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સ્ક્રેપના માર્કેટમાં જો કોઈ શંકાસ્પદ અથવા  ગેરકાયદેસર ગતિવિધિ દેખાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.