અંકલેશ્વર: NH 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગવા મામલે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

New Update
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
Advertisment
NH 48 નજીક સ્ક્રેપ માર્કેટમાં લાગી હતી આગ
સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળ્યા હતા
મામલામાં પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
પોલીસ તપાસનો ધમધમાટ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે
Advertisment

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને આવેલા સ્ક્રેપના માર્કેટમાં હોળીના દિવસે આગ ફાટી નીકળી હતી.એક  ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા એક પછી એક સ્ક્રેપના 8 જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.નજીકમાં આવેલા ભડકોદરા ગામના રહેવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો ઉઠી હતી.આ મામલે તંત્ર દ્વારા ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉનને તોડી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે. આગ લાગવાની ઘટનામાં પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સ્ક્રેપના માર્કેટમાં જો કોઈ શંકાસ્પદ અથવા  ગેરકાયદેસર ગતિવિધિ દેખાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment