અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં ખાનગી કેન્સર કેર સેન્ટરનો પ્રારંભ કરાયો

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • મહાવીર ટર્નિંગ નજીક પ્રારંભ કરાયો

  • ટ્રેડ સેન્ટરમાં અદ્વૈત કેન્સર કેરનું ઉદ્દઘાટન 

  • આમંત્રીતો રહયા ઉપસ્થિત

  • કેન્સરની સારવાર અંકલેશ્વરમાં જ મળી રહેશે

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 
સુરત બાદ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું આજરોજ ડો.દિવ્યેશ પાઠકના પરિવારના વડીલોના હસ્તે રીબીન કટિંગ થકી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ અદ્વૈતા કેન્સર કેરમાં અદ્યતન સેવાઓ પૂરી પાડવામાં આવશે.લોકોને હવે અંકલેશ્વરમાં જ કેન્સરની સારવાર મળી રહેશે.
આ ઉદ્દઘાટન પ્રસંગે ડો.દિવ્યેશ પાઠક અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો સહીત પરિવાજનો,સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.