અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં ખાનગી કેન્સર કેર સેન્ટરનો પ્રારંભ કરાયો

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • મહાવીર ટર્નિંગ નજીક પ્રારંભ કરાયો

  • ટ્રેડ સેન્ટરમાં અદ્વૈત કેન્સર કેરનું ઉદ્દઘાટન 

  • આમંત્રીતો રહયા ઉપસ્થિત

  • કેન્સરની સારવાર અંકલેશ્વરમાં જ મળી રહેશે

Advertisment
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 
સુરત બાદ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું આજરોજ ડો.દિવ્યેશ પાઠકના પરિવારના વડીલોના હસ્તે રીબીન કટિંગ થકી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ અદ્વૈતા કેન્સર કેરમાં અદ્યતન સેવાઓ પૂરી પાડવામાં આવશે.લોકોને હવે અંકલેશ્વરમાં જ કેન્સરની સારવાર મળી રહેશે.
આ ઉદ્દઘાટન પ્રસંગે ડો.દિવ્યેશ પાઠક અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો સહીત પરિવાજનો,સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment