અંકલેશ્વર: ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિતે  ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા

દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.

New Update
  • આજે તા.26 ડિસેમ્બર વીર બાળ દિવસ

  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગુરુદ્વારા ખાતે આયોજન કરાયું

  • ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિતે ભજન સત્સંગ અને લંગર સહીતના કાર્યક્રમો યોજાયા હતા.
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારૂતીસિંહ અટોદરિયા ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત ,જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીરસીંગ ,હરેન્દ્ર પુષ્કર્ણા  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories