અંકલેશ્વર: નવા બોરભાઠાની શ્રીનાથપાર્ક સોસા.ના બંધ મકાનમાંથી રૂ.4.95 લાખના માલમત્તાની ચોરી

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

New Update

અંકલેશ્વરમાં ચોરીના બનાવો યથાવત

નવા બોરભાઠા ગામમાં તસ્કરો ત્રાટકયા

શ્રીનાથપાર્કના બંધ મકાનને બનાવ્યું નિશાન

રૂ.4.95 લાખના માલમત્તાની ચોરી

એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 
અંકલેશ્વરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે.સોસાયટીમાં રહેતા જયેશ આહિર ગતરોજ પોતાની નોકરી ઉપર ગયા હતા અને પત્ની ખાનગી હોસ્પીટલમાં તેઓના માતાની ખબર અંતર પૂછવા માટે મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો ઘરના પાછળના ભાગે બેડરૂમની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ રોકડા 40 હજાર તેમજ સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડિવિઝ્ન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.