અંકલેશ્વર: ભારત બંધના એલાનના પગલે વિરોધ પ્રદર્શન, અનામત અંગેના નિર્ણયનો વિરોધ

અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update

અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું

SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે

Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.