અંકલેશ્વર: ભારત બંધના એલાનના પગલે વિરોધ પ્રદર્શન, અનામત અંગેના નિર્ણયનો વિરોધ

અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update

અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું

Advertisment

SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે

Advertisment
Read the Next Article

ભરૂચ: જંબુસના મગણાદ ગામના 10 દિવસથી ગુમ વ્યક્તિનું  કંકાલ મળી આવ્યું,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
Screenshot_2025-05-31-10-00-11-72_92460851df6f172a4592fca41cc2d2e6

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment
કંકાલ જંબુસર નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના ભાગમાંથી મળી આવ્યો હતો. નરેન્દ્ર રામસિંહ રાજ છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા હતા.
પરિવારજનો અને ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી.જે બાદ ગતરોજ ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હોવાના સંકેત મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી જંબુસર પોલીસને ત્યાં કંકાલ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કંકાલને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે મોતનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Advertisment