અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ચર્ચ સુધીના બિસ્માર માર્ગનું રૂ.20 લાખના ખર્ચે સમારકામ શરૂ !

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનની કામગીરી

  • બિસ્માર માર્ગોનું કરાયુ સમારકામ

  • રેલવે સ્ટેશનથી ચર્ચ સુધીના માર્ગનું સમારકામ

  • રૂ.20 લાખનો ખર્ચ કરાયો

  • પદાધિકારીઓ કર્યું નિરીક્ષણ

Advertisment
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રેલવે સ્ટેશનથી ચર્ચ સુધી ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ અંગે નગર સેવાસદનમાં વારંવાર રજૂઆત કરાતા તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.નગર સેવા સદન દ્વારા રૂ.20 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે. જેનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગર સેવકોએ નિરિક્ષણ કર્યું હતું. અત્યંત બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અને નગર સેવા સદનના  પદાઅધિકારીનો આભાર માન્યો હતો
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.