અંકલેશ્વર: ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગ પર સમારકામની કામગીરી શરૂ !

અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

New Update

ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા

બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઇ

ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગનું સમારકામ

વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હવે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8ના માર્ગ પર પેચિંગવર્ક શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો જેના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવર જવર કરતાં સેંકડો વાહન ચાલકો હાલાકી બેઠી રહ્યા હતા પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચિંગ વર્ગ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં માર્ગ પર જે જગ્યાએ ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશેન પેચિંગ વર્ક પૂર્ણ થઈ ગયા બાદ વાહનચાલકોને રાહત મળશે.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.