અંકલેશ્વર: ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગ પર સમારકામની કામગીરી શરૂ !

અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

New Update

ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા

બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઇ

ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગનું સમારકામ

વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હવે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8ના માર્ગ પર પેચિંગવર્ક શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો જેના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવર જવર કરતાં સેંકડો વાહન ચાલકો હાલાકી બેઠી રહ્યા હતા પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચિંગ વર્ગ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં માર્ગ પર જે જગ્યાએ ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશેન પેચિંગ વર્ક પૂર્ણ થઈ ગયા બાદ વાહનચાલકોને રાહત મળશે.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.